ઉમરગામ ટાઉન કામરવાડ ખાતે કીમલી માતા મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ



ઉમરગામ ટાઉનના કામરવાડ વિસ્તારમાં કાર્યરત કામલી સમાજ દ્વારા નિર્મિત નવનિર્મિત કીમલી માતાના મંદિરમાં આજેથી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે ધામધૂમથી ગણેશ પૂજા, મંડપ પૂજા અને પ્રાર્થના સહિતની શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.


શાસ્ત્રી શ્રી મયુરભાઈ આચાર્ય દ્વારા મંત્રોચ્ચાર સાથે ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી અંકુશ કામલી સહિત સમાજના ૨૧ યજમાનોએ યજમાન સ્થાને બિરાજમાન રહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.



આ પાવન પ્રસંગે ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી કામલી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને પૂજામાં સહભાગી બન્યા હતા. આગામી દિવસોમાં યજ્ઞ, હવન, રથયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉમરગામ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *