
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નડિયાદ જિલ્લાનો પ્રારંભિક સંઘ શિક્ષા વર્ગ તારીખ 23 મે થી 25 મે, 2025 દરમિયાન સંતરામ મંદિર, શાંતિ સદન ખાતે યોજાયો. આ ત્રિદિવસીય વર્ગમાં જિલ્લાના તમામ તાલુકા અને નગરોમાંથી 51 શિક્ષાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

વર્ગનું સંચાલન વર્ગ કાર્યવાહ શ્રી પ્રવીણભાઈ નાકરાણી, કાર્યાલય પ્રમુખ શ્રી રોનીશ પટેલ, બૌદ્ધિક પ્રમુખ શ્રી જીગ્નેશ દરજી, શારીરિક પ્રમુખ શ્રી રાજ પટેલ, વ્યવસ્થા પ્રમુખ શ્રી મયંક પટેલ તથા જીલ્લા સહ કાર્યવાહ પ્રણવભાઈ ચૌહાણ આવે અને તમામ શિક્ષક શ્રીની ઉપસ્થિતિમાં યોજાયું. વર્ગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્કૃતિ અનુસાર શિક્ષાર્થીઓની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાઓના વિકાસ માટે નિયમિત દિનચર્યા, વિવિધ સત્રો, કાલાંસ અને સમૂહ રમતો દ્વારા શારીરિક તથા માનસિક રીતે મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.

વર્ગ દરમિયાન જિલ્લા પ્રચાર પ્રમુખ શ્રી નીતિનભાઈ વાસાણી દ્વારા પુસ્તક વેચાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી શૈલેષભાઈ ઉપસ્થિત રહ્યા.

આ ઉપરાંત, સંતરામ મહારાજના સંત શ્રી રામદાસ મહારાજે તમામ શિક્ષાર્થીઓ સાથે મુલાકાત કરી અને તેમને આશીર્વાદ આપ્યા.

આ વર્ગ શિક્ષાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ, સંઘની સંસ્કૃતિ અને મૂલ્યોનું સંપાદન કરવા માટે સફળ રહ્યો.
નડિયાદ થી જય શ્રીમાળી..