
આણંદ, આણંદ જિલ્લા ઉદ્યોગ વિભાગ દ્વારા “ગુણવત્તા યાત્રા ગુજરાત” કાર્યક્રમનું ભવ્ય આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુણવત્તા સુધારણા અને ઉદ્યોગોના વિકાસ માટેના આ પ્રયાસોની પ્રશંસા કરી અને ઉદ્યોગકારોને નવીનતા અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા.

આ પ્રસંગે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી મોહિતસિંહ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રી એસોસિએશનના સેક્રેટરી શ્રી ચિંતનભાઈ પંડ્યા, જોઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર અને જનરલ મેનેજર-ડીઆઈસી આણંદ શ્રી જી.પી. ઝાલા તથા QCI એડવાઈઝર શ્રી જગતભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા સુધારણા, નવીનતા અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ઉત્પાદનોની ગુણવત્તા વધારવા માટેની જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે ઉદ્યોગકારોને ગુણવત્તા સંબંધિત વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આણંદ જિલ્લાના ઉદ્યોગોના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ઉદ્યોગોના વિકાસ અને ગુણવત્તા સુધારણા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આણંદ થી જય શ્રીમાળી..