શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ખાતે પ્રદર્શની અને યુવા ગોષ્ઠિનું આયોજન

વાત્સલ્યમૂર્તિ, ધર્મ-સંસ્કૃતિ રક્ષક અને પ્રજાવત્સલ શાસક પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી અહલ્યાબાઈ હોલકરના પ્રેરણાદાયી જીવન ચરિત્ર પર આધારિત એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીનું નિરીક્ષણ કરવા ઉપરાંત યુવા ગોષ્ઠિ કાર્યક્રમમાં સંબોધન પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા મહામંત્રીશ્રી બી.જે. બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખશ્રી દર્શિત બ્રહ્મભટ્ટ, અને કોષાધ્યક્ષશ્રી ગોપાલભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી અહલ્યાબાઈ હોલકરના અસાધારણ શાસન, ધર્મ-સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રજાકલ્યાણ માટેના તેમના અમૂલ્ય યોગદાનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. યુવા ગોષ્ઠિમાં યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ, સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણ માટે કાર્ય કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ પ્રદર્શની અને ગોષ્ઠિ દ્વારા શ્રી અહલ્યાબાઈ હોલકરના આદર્શો અને મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેથી યુવાનો તેમના માર્ગદર્શનથી પ્રેરાઈને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપે.

ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *