
નડિયાદ, પુણ્ય શ્લોક શ્રી અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શ્રી સંતરામેશ્વર મહાદેવ, સમતા પાર્ટી પ્લોટ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરતી, દીપ પ્રાગટ્ય અને ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના પરિવારજનો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં શહેર પ્રમુખ શ્રી વિરાગભાઈ, મહામંત્રીશ્રીઓ શ્રી દર્શનભાઈ અને શ્રી હર્ષિલભાઈ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી હિનલભાઈ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, વિસ્તારના વડીલો તથા ભાઈ-બહેનો સહિત નડિયાદ ભાજપ સંગઠનના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દ્વારા શ્રી અહલ્યાબાઈ હોલકરજીના અમૂલ્ય યોગદાન અને તેમના આદર્શોને યાદ કરવામાં આવ્યા. ગોષ્ઠીમાં ઉપસ્થિત મહાનુભાવોએ તેમના જીવન અને કાર્યોની પ્રેરણાત્મક વાતો રજૂ કરી, જેને શ્રોતાઓએ ખૂબ પ્રશંસા સાથે સાંભળી. આ પ્રસંગે શ્રી સંતરામેશ્વર મહાદેવ ખાતે આરતી અને દીપ પ્રાગટ્યના કાર્યક્રમે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનું વાતાવરણ સર્જ્યું હતું.
નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા આવા આયોજનો દ્વારા સમાજમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમ શ્રી અહલ્યાબાઈ હોલકરજીના આદર્શોને અનુસરીને સમાજસેવા અને રાષ્ટ્રભક્તિના સંદેશને પ્રસારિત કરવામાં સફળ રહ્યો હતો.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..