
આણંદ: આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં રૂ. ૧૪૪.૯૮ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના વરદ હસ્તે યોજાયું હતું.

આ પ્રસંગે કરમસદ શહેર સંગઠન પ્રમુખ શ્રી મૃણાલભાઈ પટેલ, મહામંત્રી શ્રી પ્રણવભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિકાસ કાર્યો વિસ્તારના નાગરિકોની સુવિધા અને જીવનધોરણમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાશે.
આણંદ થી જય શ્રીમાળી..