ગુરુ અર્જન દેવની 419મી શહીદી દિવસે દમણના સિખ સમુદાય દ્વારા છબીલ સેવા

દમણમાં રહેતા પંજાબી સિખ સમુદાયે 30 અને 31 મે, 2025ના રોજ ગુરુ અર્જન દેવની 419મી શહીદી દિવસ પ્રસંગે, ‘છબીલ’ (શરબત વિતરણ) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 મેના રોજ ગુરુદ્વારામાં અને 31 મેના રોજ મશાલ ચોક વિસ્તારમાં આવતા-જતા વાહન ચાલકો અને રાહદારીઓને ઠંડું, મીઠું શરબતનું વિતરણ કર્યું હતું.

આ સેવા કાર્યમાં દમણમાં રહેતા સિખ સમુદાયના નાના બાળકોથી લઈને મોટેરાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પંચમ ગુરુ અર્જન દેવ સિખ ધર્મના પ્રથમ શહીદ ગુરુ હતા. 1606માં, મુગલ સમ્રાટ જહાંગીરે તેમને ગરમ લોખંડના તવા પર બેસાડીને અને ગરમ રેત રેડીને ક્રૂર યાતનાઓ આપવામાં આવી હતું.

ઐતિહાસિક અને સિખ પરંપરાઓ અનુસાર, તેમની શહાદત સિખ ધર્મમાં એક મહત્વની ઘટના હતી, જેણે સિખ સમુદાયને ધાર્મિક સ્વતંત્રતા અને બલિદાનના મૂલ્યોને મજબૂત કરવામાં પ્રેરણા આપી છે. આજના છબીલનાં આયોજન દરમિયાન, સમુદાયે ગુરુ ગ્રંથ સાહિબની પંક્તિ “તેરા કિયા મીઠા લાગે” ને યાદ કરી હતી, જે કઠોર પરિસ્થિતિમાં પણ ઈશ્વર પર અડગ વિશ્વાસ અને દરેક વિપત્તીને ઈશ્વરના આશીર્વાદ સમજીને તેની સહજ સ્વીકૃતિનો સંદેશ આપે છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *