ગુજરાત રાજ્ય યાત્રાધામ બોર્ડના સચિવ રમેશ મેરજા ગ્રામ પંચાયત ની ઔપચારિક મુલાકાતે



નારગોલ : વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના નારગોલ ગામે યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરઝા ઔપચારિક મુલાકાતે આવી પહોંચ્યા હતા. નારગોલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ સ્વીટી બેન ભંડારી પૂર્વ સરપંચ યતિનભાઈ ભંડારી જયેશભાઈ બારી કાંતિભાઈ સહિત ગામના આગેવાનોએ તેઓનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારીએ નારગોલ ગામની પૃષ્ઠભૂમિ વિશે રમેશભાઈ મેરઝા ને વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી સાથે નારગોલ ગામનો પ્રવાસન અને યાત્રાધામ તરીકે નો વિકાસ થાય તે માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ઉમરગામ તાલુકામાં સરીગામ અને ઉમરગામના ઔદ્યોગિક વિકાસ હરણફાળ ગતિએ થઈ રહ્યો છે સાથે જ નારગોલના ચાર કિલોમીટર લાંબા દરિયા કિનારા ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રવાસન સ્થળ તરીકેની ઓળખ મળે તે માટે ગ્રામ પંચાયત કક્ષાએ તેમ જ સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસ થઈ રહ્યા છે. નારગોલ ગામ ની બ્લુ ફ્લેટ માટેની પસંદગી કરાઈ છે. તે દિશામાં સરકારી વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક પંચાત કક્ષાએથી નોંધપાત્ર કામગીરી થઈ રહી છે.

સરપંચ સ્વીટી બેન ભંડારી પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારીએ યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરઝા ની મુલાકાત સંદર્ભે જાણકારી આપી હતી ઉમરગામ તાલુકા મામલતદાર દલપતભાઈ આ પ્રસંગે નારગોલ ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ મેરઝા તાલુકા મામલતદાર દલપતભાઈ તથા સરપંચ સ્વીટી બેન સહિત ઉપસ્થિત આગેવાનોએ નારગોલ દરિયા કિનારાની મુલાકાત લીધી હતી.

ઉમરગામ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *