
દમણ:
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરની ૩૦૦મી જન્મજયંતિને મહત્ત્વ આપીને ભાજપ દ્વારા ૨૧ મે થી ૩૧ મે, ૨૦૨૫ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ ઉજવણીના ભાગરૂપે દમણ શહેરના તીન બત્તી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે ભાજપ મહિલા મોરચાની આગેવાનીમાં એક માહિતીસભર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શनीમાં મહારાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવનચરિત્રને ઉજાગર કરવામાં આવ્યું હતું અને કાશી વિશ્વનાથ મંદિરથી લઈને સોમનાથ મંદિર સુધીના ઘણા દેવસ્થાનોના જીર્ણોદ્ધારમાં તેમના યોગદાનને વિષદ રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હાજર રહેલા આગેવાનોમાં ભાજપ મહિલા મોરચાની સિમ્પલબેન કાટેલા, ડીએમસી કાઉન્સિલર આશિષ ટંડેલ, ભાજપના ઉપાધ્યક્ષ મહેશ અગરિયા, તેમજ દમણ શહેર ભાજપ પ્રમુખ પિયુષ પટેલનો સમાવેશ થાય છે. તેઓએ મહારાણી અહલ્યાબાઈના જીવનમાંથી આજે પણ મળતી પ્રેરણાનું મહત્વ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગના લોકોને પ્રેરણા મળે તે રીતે માહિતી અને સંસ્કૃતિથી ભરપૂર રજૂઆતો કરવામાં આવી હતી.
ભવિષ્યમાં આવી વધુ પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ દમણ શહેરમાં યોજાશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
દમણ થી આલમ શેખ..