
સિલવાસા — સિલવાસામાં અસ્થાયી બજારની તબાહી બાદ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાએ અસરગ્રસ્ત વેન્ડરો સાથે મુલાકાત કરી તેમની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો. નગરપાલિકાના આ અચાનક તબાહીથી અનેક નાના વેપારીઓ વિપરીત પરિસ્થિતિમાં આવી ગયા છે.

પ્રભુ ટોકિયાએ જણાવ્યું કે તેઓ જલ્દી Silvassa Municipal Council ના ચીફ ઓફિસર સાથે મુલાકાત કરશે અને પુછપરછ કરશે કે આ અચાનક તબાહીથી વેપારીઓને થયેલો નુકસાન કોણ ભરે?
તેમણે આ કાર્યવાહી અંગે નગરપાલિકાને જવાબદાર ઠેરવ્યો અને કહ્યું કે નાના વેપારીઓની ભવિષ્યની જિંદગી માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. પ્રભુ ટોકિયાએ નગરપાલિકા પાસે અસરગ્રસ્ત વેન્ડરો માટે રાવત અને સહાયની માંગણી કરી.
સિલવાસા થી આલમ શેખ..