વાપીમાં ગેરકાયદેસર ભંગાર ગોડાઉન તોડફોડ સામે અનંત પટેલની ન્યાય યાત્રા

વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા, કરવડ, બલિઠા, સલવાવ, મોરાઈમાં ગેરકાયદેસર ગોડાઉન ઉભા કરી ભંગારની પ્રવૃતિ કરનારાઓના ગોડાઉન પર બુલડોઝર ફેરવી દીધા બાદ આ ભંગારિયાઓ ન્યાય અપાવવા માટે અનંત પટેલે ન્યાય યાત્રા કાઢી વાપી મનપાના અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમજ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતો. જો કે, ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય તો તેને રોકવાનું કામ મહાનગરપાલિકાનું છે. તેવું જણાવી ડેપ્યુટી કમિશ્નરને માનપાનો અડગ નિર્ધાર પ્રગત કર્યો હતો.

વાપી મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનના વિરોધમાં અને ગોડાઉન માલિકોને થતા અન્યાય સામે ન્યાય અપાવવા વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે ન્યાય યાત્રા યોજી વાપી મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજુઆત કરી હતી કે, હાલમાં ચોમાસા દરમ્યાન મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી ભંગારના ગોડાઉન માલિકોને નુકસાન થઈ રહ્યું છે. તેમને વૈકલ્પિક વ્યસ્થા મળતી નથી. મહાનગરપાલિકા જે પેપર માંગે છે. તે અધિકૃત છે. માટે તેઓને પૂરતો સમય આપવામાં આવે. બાંધકામમાં હેતુફેર કરવાનો સમય આપવામાં આવે.


અનંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની કાર્યવાહીથી અનેક પરિવારો બેઘર બન્યા છે. મહાનગરપાલિકાએ આ વિસ્તારને ટાર્ગેટ કરી કાર્યવાહી કરી છે. અન્ય સ્થળોએ રેસિડેન્સીયલ એરિયામાં આવી પ્રવૃતિઓ સામે કાર્યવાહી કેમ નથી કરતા તેવો આક્ષેપ કર્યો હતો.

વધુમાં ડુંગરી ફળિયા કરવડ વિસ્તારમાં અવારનવાર આગના બનાવો બને છે. જાનહાની થાય છે. પ્રદુષણ ફેલાવે છે. તો શું આવી ઘટનાઓ GIDC ની કંપનીઓમાં નથી બનતી GIDC નું પ્રદુષિત પાણી ક્યાં જાય છે. તે અમને ખબર છે. સરકારે મહાનગરપાલિકામાં ગામડાઓ લીધા તો GIDC અને નોટિફાઇડ કેમ લીધી નથી. અમને મૂર્ખ સમજે છે. અમે મૂર્ખ નથી. સરકારના કાન અને આંખ ખોલવા આવ્યાં છીએ. શાંતિથી આવેદનપત્ર આપવા આવ્યાં છીએ. જરૂર પડ્યે અહીં જ તમામ લોકો સાથે ધરણા પર બેસી જઈશું તેવું કહી ધારાસભ્ય અનંત પટેલે ભંગારિયાઓનો પક્ષ લીધો હતો.

તો, આ પહેલા અનંત પટેલે વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરેલ ગામડાઓના વિરોધમાં પણ આવેદનપત્રો આપ્યા છે. જે મામલે હાલ મામલો હાઇકોર્ટમાં હોવાનું અને આગામી દિવસમાં તેઓને બોલાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ભંગારના અનેક ગોડાઉન કોમન પ્લોટ પર જ ઉભા થઇ ગયા છે. શાળા આંગણવાડી નજીક જ પ્રદુષણ ફેલાવી આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેવા સવાલના જવાબમાં અનંત પટેલે જણાવ્યુ હતુ કે, તો, તેઓ સામે અને જે GIDC ના ઉદ્યોગો પ્રદુષણ ફેલાવે છે. જમીન, કેનાલમાં પાણી છોડી પ્રદુષણ કરે છે. તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એક ને ખોળ અને બીજાને ગોળ ની નીતિ ના રાખવી જોઈએ.

અનંત પટેલની આ ન્યાય યાત્રા અને આવેદનપત્ર મારફતે કરેલી રજુઆત સંદર્ભે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ગોડાઉનોને ચલાવવા દેશે નહિ. તેઓને પૂરતો સમય આપ્યો હતો. જે બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. એમની માંગ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હતી. પરંતુ જ્યાં ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોય તેને રોકવાનું કામ મહાનગરપાલિકાનું છે. છતાં પણ તેમની રજુઆત અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અનંત પટેલની આ ન્યાય યાત્રા અને આવેદનપત્રના કાર્યક્રમમાં વાપી ના ડુંગરી ફળિયા, કરવડ, બલિઠા, છીરી, છરવાડા, બલિઠા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભંગારિયાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો, કોંગ્રેસના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ વાપીના ઝંડા ચોકથી મહાનગરપાલિકા સુધી બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ તે માટે વાપી ટાઉન પોલીસ મથકના PI, PSI સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *