
ઉમરગામ તાલુકાના રળિયામણા દરિયા કિનારે સ્વચ્છતા જાળવવાના ઉમદા હેતુથી બીચ ક્લિનિંગ અભિયાન યોજાયું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સરીગામ કચેરીના જાગૃત અધિકારી એ. ઓ. ત્રિવેદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક આયોજિત થયું હતું.

ડોમ્સ ઇન્ડસ્ટ્રી, ચંદન સ્ટીલ તથા ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થા, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને અનુસરતા સૌએ દરિયા કિનારાની સફાઈ કરી, તેમજ પલાસ્ટિક અને અન્ય કચરાની યોગ્ય રીતે ઉકેલી કામગીરી આપી.
કાર્યક્રમ પચી ઉપસ્થિત સૌએ ઘરો, ફળિયા અને ગામોમાં પણ સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવા માટે શપથ લીધા હતા.
આ પ્રસંગે એ. ઓ. ત્રિવેદી સાહેબે સૌ સ્વચ્છતાપ્રેમી નાગરિકોનો હાર્દિક આભાર માનતાં જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી માટે સરકારી તંત્ર ઉપરાંત સામાજિક સહભાગિતાની પણ અગત્યની ભૂમિકા હોય છે.
આ કાર્યક્રમથી ઉમરગામ વિસ્તારમાં સ્વચ્છતા અંગે સકારાત્મક સંદેશો પ્રસરી રહ્યો છે.
ઉમરગામ થી આલમ શેખ..