અમદાવાદમાં ₹1,593 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રોજગાર સર્જનની પહેલ



અમદાવાદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના ₹1,593 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું.

આ પ્રસંગે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) અંતર્ગત રોજગાર માટે 3,000 લાભાર્થીઓને યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેમજ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ પસંદગી પામેલ લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ, રાજ્યના 700થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ અમદાવાદના વિકાસ અને રોજગાર સર્જનના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે, જે શહેરની પ્રગતિ અને નાગરિકોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રીપોર્ટ : જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *